Saturday 9 March 2013

મિત્ર.


મૈત્રી એ સુખનો ગુણાકાર અને દુ:ખનો ભાગાકાર છે.
મૈત્રી હંમેશાં સરખા સ્વભાવ અને સરખા સુદુ:ખ વાળાઓની સાથે જ થાય છે.
સાચો મિત્ર એ છે કે જે મોઢા પર કડવી વાત કહે પણ પાછળથી હંમેશા વખાણ કરે.
માનવીનો સાચો મિત્ર તેની દશ આંગળીઓ છે.
મિત્રના મૃત્યુ કરતા મૈત્રીનું મૃત્યુ વધારે અસહ્ય હોય છે.
જીવનમાં મિત્રતાથી અધિક પ્રસન્નતા બીજી કોઈ નથી.
મિત્રતાનો સર છે પૂર્ણ ઉદારતા અને વિશ્વાસ.
મિત્ર ઢાલ જેવો હોવો જોઈએ એટલે સુખમાં પાછળ અને દુ:ખમાં આગળ રહે.
મિત્રતા ધીરજથી કરો પરંતુ કર્યા પછી અચલ અને દ્રઢ બનીને નિભાવો.
મિત્રતા એવો છોડ છે જેને હંમેશા પ્રેમરૂપી પાણીથી સીંચવો પડે છે.
સફળતા, ઉપયોગીતા અને સુખનો આધાર ઘણે અંશે 
મિત્રોની સંખ્યા અને પ્રકાર ઉપર રહેલો છે.
મિત્ર અને મંત્ર પર કડી અવિશ્વાસ ન રાખશો. 
મિત્રમાં અવિશ્વાસ રાખશો તો સ્નેહ તૂટશે, મંત્રમાં અવિશ્વાસ રાખશો તો શક્તિ ખૂટશે.
બે શરીર અને એક મન મળીને મૈત્રી સર્જાય છે.
તમારા મિત્રની ભૂલો તેને એકાંતમાં બતાવો પણ તેના વખાણ તો જાહેરમાં જ કરજો.
મૈત્રી એ તો ઈશ્વરે માનવીને દીધેલી શ્રેષ્ઠતમ બક્ષીસ છે.

No comments:

Post a Comment