Wednesday 24 April 2013

એક સરસ મજાની નાનકડી વાર્તા

એક સરસ મજાની નાનકડી વાર્તા માણીએ.

એક વૃદ્ધાના મૃત્યુ બાદ તેનો હિસાબ-કિતાબ તપાસ્યા બાદ તેને કહેવામાં આવ્યું કે તમે કશું જ પુણ્ય નથી કર્યું માટે નરખમાં જશો.

"મેં કોઈ પુણ્ય નથી કર્યું એ વાત સાચી, પણ એક ગાયને ગાજર ખવડાવાવનું પુણ્ય તો મેં કર્યું જ છે!" પેલી વૃદ્ધાએ કહ્યું.

"ભલે તો પછી ગાજરને બોલાવો એ તમારી મદદ કરશે", સ્વર્ગના હિસાબનીશે કહ્યું.

ગાજર ઉડતુ ઉડતુ વૃદ્ધા સમક્ષ આવી પહોચ્યું.

વૃદ્ધાને કહેવામાં આવ્યું કે "પેલા ગાજરને પકડીને લટકી જાઓ, ગાજર સ્વર્ગમાં જઈ રહ્યું છે. જો તમે ગાજર પકડીને તમારી જાતને સંભાળી શકો તો તમે કરેલા ગાયને ગાજર ખવડાવવાના પુણ્યને કારણે સ્વર્ગે પહોચી જશો."

અને વૃદ્ધા ગાજર પકડીને લટકી ગયી અને ગાજર સ્વર્ગને માર્ગે આગળ વધવા લાગ્યું. રસ્તામાં જે લોકોએ આ વૃદ્ધાને જોઈ તેઓએ વૃદ્ધાના પગ પકડી લીધા અને મનોમન વિચાર્યું કે ચાલો આપણે પણ વૃદ્ધા સાથે સ્વર્ગે પહોચી જઈશું. એમ વૃદ્ધાના પગ પકડનારની સંખ્યા વધતી જ ગઈ, અને લોકો એકબીજાના પગ પકડી લટક્તા જ રહ્યા.

વૃદ્ધાએ એકએક નીચે તરફ નજર કરી અને મનમાં વિચાર કર્યો કે મારે કારણે આટલા બધા લોકો સ્વર્ગે જઈ રહ્યા છે. એટલે તેને કહ્યું કે - "મારા પગ છોડો, આ ગાજર મારું છે!"

એમ કહેતાની સાથે જ વૃદ્ધા ભોય પર પટકાઈ અને ગાજરની તાકાત પણ ખતમ થઇ ગઈ.

સ્વર્ગમાં લઇ જવાની તાકાત તો ગાજરમાં હતી પરંતુ વૃદ્ધાએ જયારે 'મારો' શબ્દ ઉમેર્યો અને મેં પુણ્ય કર્યું હતું એમ વિચાર્યું, ત્યારે ગાજરની બધી તાકાત ખલાસ થઇ ગયી અને સહુ નીચે પટકાયા.

વૃદ્ધા સંસાર અને સ્વર્ગ બંને વચ્ચે અટવાયેલી રહી. એ સ્વર્ગે જવા તો નીકળી પણ એનું મન સ્વર્ગીય બનવાને બદલે 'મારા-તારા' ની સાંસારિક વાતોમાં ગુંચવાઈ ગયું.

No comments:

Post a Comment