Monday 3 March 2014

દાંપત્ય જીવન ખુશખુશાલ નથી,

દાંપત્ય જીવનની ખુશી માટે માનસિક અને વૈચારિક તાદાત્મ્યતા બહુ જરૂરી હોય છે. એટલું જ નહીં લગ્ન જીવનમાં શારીરિક સંબંધોનું મહત્વ પણ ઘણું હોય છે ત્યારે જ તો તમે તમારા દાંપત્યજીવનમાં ખુશહાલ રહી શકો છો.

દાંપત્યજીવનને ખુશખુશાલ બનાવવા કરો આટલુ...

  • સંશોધનો દરમિયાન એ વાત સામે આવી છે કે, દાંપત્યજીવનમાં ખુશ રહેતી સ્ત્રીઓમાં હૃદય સંબંધી બીમારીઓ અન્યની સરખામણીએ ઘણી ઓછી હોય છે.
  • દાંપત્યજીવનમાં ખુશ સ્ત્રીઓમાં અવિવાહિત, છૂટાછેડા લીધેલી, વિધવા કે પોતાના લગ્નથી નાખુશ રહેતી મહિલાઓની સરખામણીએ તણાવ, બેચેની કે ડિપ્રેશન જેવી બીમારીઓ પણ ઓછી હોય છે.
  • એ પણ જાણવું જોઇએ કે, ખુશખુશાલ લગ્નજીવન વિતાવનારી મહિલાઓનું બ્લડપ્રેશર સ્થિર રહે છે અને કોલેસ્ટ્રોલ પણ સામાન્ય રહે છે.
  • સુખી દાંપત્યજીવન દ્વારા તમે સામાજિકરૂપે પણ સક્રિય રહો છો. આવામાં નાની-નાની બાબતો પર ઝઘડા કરનારા દંપતિએ પોતાની સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા ખુશ રહેવાના પ્રયાસો કરવા જોઇએ.
  • લગ્નજીવનમાં ખુશ રહેવા માટે જરૂરી છે કે તમે પરસ્પર એકબીજા પર વિશ્વાસ કરો. પરસ્પત પ્રેમ જાળવી રાખો અને દરેક કામ એકબીજના સહયોગથી કરો.
  • એકબીજા વચ્ચેનો તણાવ ઓછો કરવા માટે જરૂરી છે કે પરસ્પર વધુને વધુ વાતચીત કરવાની રાખો.
  • પતિ-પત્ની પોતાના સંબંધ યોગ્ય રીતે ચાલે તે માટે જરૂરી છે પરસ્પર એકબીજા પર કારણવગર શંકા-કુશંકા ન કરે અને એકબીજની પસંદ-નાપસંદને ધ્યાનમાં રાખે તે સાથે એકબીજાના માનસિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે.
  • બંનેએ એકબીજાનું અને એકબીજાના કામનું સન્માન કરવું જોઇએ અને ઘરેલું કાર્યોમાં એકબીજાને મદદ કરવી.
  • બંનેએ પોતાના જીવનની દરેક સારી-નરસી બાબતો ઈમાનદારીપૂર્વ એકબીજાને જણાવવી જોઇએ.
  • એકબીજાને પોતાની વાત કહેવાનો મોકો આપો અને પરસ્પર એકબીજના વાતોને ધ્યાનથી સાંભળો.
  • પતિ-પત્નીએ ડિપ્રેશન તેમજ ચીડિયા સ્વભાવને દૂર કરવા તથા પોતાના દાંપત્યજીવનને વધુ ઊંડુ બનાવવા એકબીજા પર વિશ્વાસ મૂકવો જોઇએ.
  • સેક્સ દાંપત્યજીવનને ખુશખુશાલ બનાવવામાં બહુ મહત્વની ભૂમિકા ભજવે છે.
  • તમારે તમારા પાર્ટનરને ખુશ કરવા અને પાર્ટનરને સહયોગ આપવા તૈયાર રહેવું જોઇએ, નહીં તો તમારી વચ્ચેના સંબંધોમાં તિરાડ સર્જાઇ શકે છે.

No comments:

Post a Comment