Sunday 26 May 2013

વ્યાપાર માં વૃદ્ધિ માટે ના ઉપાય


1. શનિવારે પીપળાના વૃક્ષનું એક પાન તોડી લાવી, તેની અગરબત્તી-ધૂપ કરી તે પાનને આપની દુકાનની ગાદી કે જ્યાં આપ બેસો છો તેની નીચે રાખવું. સાત શનિવાર સુધી સતત આમ કરતા રહો. જ્યારે ગાદી નીચે સાત પાન ભેગા થઇ જાય ત્યારે તે તમામને એક સાથે કોઇ તળાવમાં કે કૂવામાં પધરાવી દો. આનાથી આપનો વ્યવસાય પૂરપાટ દોડશે.


2. કોઇ એવી દુકાન જે ખૂબ નફો કરતી હોય ત્યાંથી શનિવારના દિવસે લોખંડની ખીલી કે નટ ખરીદીને કે માંગીને લઇ આવો. કાળા અડદના 10થી15 દાણા સાથે તેને એક શીશીમાં રાખો. ધૂપ-દીપથી પૂજા કરી ગ્રાહકોની નજરથી દૂર દુકાનમાં રાખો. આપનો વ્યવસાય સારો ચાલશે.


3. શનિવારે સાત લીલા મરચા અને સાત લીંબૂની માળા બનાવીને દુકાનમાં એવી રીતે લગાવો કે આવતા-જતાં દરેક ગ્રાહકની નજર તેની ઉપર પડે.

No comments:

Post a Comment